આ એક મોંઘી આદત છે. શા માટે પૈસા બગાડવા?

તરુણો પોતાની પર્સનાલીટી બતાવવા માટે ધૂમ્રપાન કરતા હોય છે. જે ખોટી ટેવ છે. જેમાં આસ-પાસનું વાતાવરણ જવાબદાર છે. જેથી માતા-પિતાએ તેને સમજ આપી વ્યસનથી મુક્ત કરાવવું જોઈએ.
વડીલો અથવા ઘરના વ્યક્તિઓ પોતે જો ધુમ્રપાન / તંબાકુ નું સેવન કરતા હોય તો સૌ પ્રથમ છોડવું અને ત્યારબાદ તરુણો ને તમાકુનું સેવન ન કરવા અને  છોડવાની સલાહ આપવી જોઈએ.


ફિલ્મ કે ચિત્રપટમાં હીરો કે વિલન રૂબાબથી સિગારેટ ફૂંકતો હોય અને ધુમાડાબંધ સેરો કાઢતાં હોય એવાં દશ્યોની અસર કુમળી વયનાં બાળકો પર તરત પડે છે! એને મન તો એ મર્દાનગી અને શૌર્યનું પ્રતીક છે અને છાને ખૂણે એની નકલ કરવા તત્પર થઈ જાય છે. આ હકીકતને લક્ષમાં લઈ તમાકુ મુક્ત ઉત્પાદનો કરતી કંપનીઓ એમના સુધી પહોંચી ગયા છે. વિશ્વમાં રોજ ૫૫૦૦ બાળક તમાકુ સંયોજિત પદાર્થોનું સેવન કરે છે. દર ૧૫ સેંકડે એક બાળક તમાકુનું સેવન કરવાનું શરૂ કરે છે. પુખ્ત વયના મોટાભાગના વ્યસનીઓએ ૧૦ વર્ષની ઉંમરથી જ તમાકુ લેવાનું ચાલુ કરી દીધું છે.

તમાકુ કરતાં તેની અજ્ઞાનતા વધારે ઘાતક છે. આજે આ વ્યસન ચેપી રોગની જેમ ચારમાંથી એક ભારતીયને લાગી ચૂક્યો છે; એટલે ૨૫ કરોડ લોકો તમાકુના વ્યસની બની ચૂક્યા છે.

આપણા દેશનું વાર્ષિક સિગારેટનું બિલ રૂ. ૧૮ હજાર કરોડ છે. તમાકુનું વાર્ષિક મુત્યુઆંક ૧૦ લાખ છે. ૨૦ ટકા કેન્સર તમાકુને લીધે થાય છે. ઉપરાંત ૯૦ ટકા મોઢાને લગતા રોગ અને ૬૦ ટકા હૃદય સંબંધિત રોગ તમાકુના સેવનથી થાય છે.

મુંબઈમાં જ ૬ લાખ લોકો એક યા બીજા પ્રકારે તમાકુનું સેવન કરે છે અને ૨૦ લાખ જેટલા નાની ઉંમરે જ મૃત્યુને ઉંબરે છે.જાહેરસ્થળો પર ધૂમ્રપાન નિષેધ કે તમાકુ પર ટેક્સ વધારતા જવો કે સિગારેટના પાકીટ પર ચેતવણી છાપવી એ સરકારના અધકચરા પગલાં કારગત નીવડ્યાં નથી. કંપનીઓ માતબર થતી જાય છે ને જાહેર રોકાણ વધતું જાય છે. એટલું જ નહીં, ખૂબ લોકપ્રિય એવી વિદેશી સિગારેટ માર્લબોરોનું ઉત્પાદન હવે ભારતમાં થશે? શું આપણી સરકાર આવી ભરપૂર આવક આપતી તમાકુ કંપનીઓને કદી જાકારો આપી શકશે?જોકે ફિલ્મમાં જ્યારે હીરો વિલન કે અન્ય પાત્ર સ્મોકિંગ કરતાં હોય એવું દશ્ય હોય ત્યારે શરૂઆતમાં જ ૩૦ સેકન્ડ સુધી તમાકુના સેવનથી થતા રોગો તેમજ નુકસાન વિશે માહિતી આપવાની હોય છે વળી જ્યારે આ દશ્ય ભજવાતું હોય ત્યારે નીચે સતત સ્ક્રોલ પર તમાકુના સેવનથી થતા નુકસાન વિશે માહિતી આપવાની હોય છે, જે મોટે ભાગે આપવામાં આવતી નથી કે એવી રીતે દશ્યમાન થાય છે કે પ્રેક્ષકનું ધ્યાન ભાગ્યે જ ખેંચાય છે; એટલે બોલીવુડમાં તમાકુને તિલાંજલિ ઝુંબેશ માટે ઉત્સુકતા દેખાતી નથી. પાલિકાઓએ શહેરમાં તમાકુયુક્ત પદાર્થોનું સેવન અટકાવવા અને તેનાથી થતા નુકસાન વિષે લોકોને માહિતગાર કરવાનું કાર્ય કરવાનું હોય છે.

એમના મોટાભાગના નિયમોનું રીતસર છડેચોક ઉલ્લંઘન થાય છે. પણ પાલિકા પગલાં લઈ શકતી નથી. ટોબેકો એક્ટ પ્રમાણે સિગારેટ કે અન્ય પદાર્થોનું વેચાણ કરતી દુકાનો પર ક્યાંય તેની જાહેરાતવાળા સાઈન બોર્ડ રાખવા ન જોઈએ. જ્યાં શાળા કે કોલેજો હોય ત્યાં ૧૦૦ મીટરના વિસ્તારમાં આવા પદાર્થોનું વેચાણ થતું હોય ત્યાં એના સેવનથી થતા નુકસાન અંગેની માહિતી સચિત્ર મૂકવી જોઈએ.
www.mdexim.in
તંબાકુ વગર ની સિગારેટ અપનાવો 
આ નિયમોનું પાલન થતું નથી અને ખુલ્લેઆમ તેનું વેચાણ દેશના ભાવિ નાગરિકોના આરોગ્ય માટે એ ચિંતાજનક છે. જો શ્વાસ રૂંધાય જાય તો મૃત્યુ નીપજે એમ તમાકુ શરીરનાં કોષોનો પ્રાણવાયુ રૂંધે છે. આમ કોષોનો નાશ થાય છે. એવું તમાકુ-વ્યસન મુક્તિના નિષ્ણાત ડૉ. જાગૃતિ ચશ્માવાલાનું કહેવું છે. તમાકુ માથાના વાળથી પગના નખ સુધી ઝેર સમાન અસર કરે છે. તમાકુ લેતા જ ૭ સેકન્ડમાં હૃદયના ૮-૧૦ ધબકારા વધી જાય છે. આને લીધે હૃદય પર જોર પડે છે અને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે.
આમ આપણે જ આપણું આયુષ્ય ટૂંકાવી રહ્યા છીએ. એશિયાઈ પુરુષોને હૃદયરોગ થવાની ઘણી શક્યતા છે એટલે તમાકુનું વ્યસન મૃત્યુને આંમત્રણ છે. તમાકુ સીધી જ બાળકો અને યુવાઓ પર પગપેસારો કરે છે. આથી જ તે ખૂબ જોખમી છે. ભારતમાં તમાકુનો ઉપયોગ દરેક રાજયમાં અને દરેક શહેરમાં થાય છે પણ તેની પેર્ટન દરેક રાજયમાં અલગ અલગ છે.આ તારણ છેક અમેરિકાના ફલોરિડાથી જુદા જુદા દેશોમાં ફરીને ભારતની મુલાકાતે આવેલી અને તમાકુના વ્યસન અંગે રિસર્ચ કરતી વેલ્સ્લી યુનિ.ની એલેન્ડ્રાનું છે.

અમેરિકાના ફલોરિડા શહેરની વેલ્સ્લી યુનિવર્સિટીની વિધાર્થિની એલેન્ડ્રા એલિસને વિવિધ દેશોમાં ફરીને તમાકુ પ્રતિબંધિત કાયદાઓ અને તમાકુના સેવનના પ્રસાર અંગેના રિસર્ચ પ્રોજેકટના ભાગરૂપે વડોદરાની મુલાકાત લીધી હતી. તેણે જણાવ્યું કે, ‘હું શાળામાં હતી ત્યારે પણ તમાકુ વિરોધી કાર્યક્રમો આયોજતી.કોલેજ બાદ પ્રોજેકટમાં ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ચીન, કમ્બોડિયા, ભારત જેવા કેટલાક દેશોમાં ફરીને તમાકુને લગતા કાયદાઓ, વ્યસન મુકિત માટે કાર્ય કરતી સંસ્થાઓ વગરેની કાર્યપદ્ધતિને હું આવરી લઇશ.’ વડોદરામાં તમાકુ વિરોધી કાર્ય કરતી ફેઇધ ફાઉન્ડેશનની મુલાકાત લેનાર એલેન્ડ્રાએ જણાવ્યું કે, ‘હુક્કા બાર બંધ થવાનો કિસ્સો વડોદરામાં સફળ થયો છે તે પ્રશંસનીય છે.વળી ભારતમાં વ્યસનની પેર્ટન દરેક રાજય-શહેરમાં અલગ છે માટે વ્યસન મુકિત અને કાયદાને લગતી બાબત અહીં ખૂબ પડકારરૂપ છે. ’ તેના મતે તમાકુના ઉધોગકારો પાસે ઢગલો નાણાં હોય છે અને માટે કયાંક સરકાર પણ તેનાથી દબાઇ જતી હોય છે.
નિકોટીન નો મોટો ડોઝ લે તો શું થાય !? નિકોટીન ઝેર છે અને એ, વ્યક્તિ જેના વડે શ્વાસ લેતો હોય એ મશલ્સ ને નિષ્ક્રિય બનાવી દે – સરવાળે ? મોત. આ સિવાય બીજું શું નુકશાન કારક હોય છે, સિગરેટ માં? ઘણું બધું…… બીજો મોટ્ટો દુશ્મન છે ‘ટાર’. એ ડામર નથી પણ દાખલો સમઝવા એને ડામર કહો તો પણ ચાલે  તમાકુ બળે ત્યારે એના વડે ઉત્પન થતા ધુમાડા માં ઘણા તત્વો હોય છે. ટાર એક ચીકણો કથ્થાઈ રંગ નો પદાર્થ છે જેના વડે સિગરેટ પીનારા ના દાંત કાળા પડે છે, આંગળીઓ ઉપર ડાઘા પડે છે અને ફેફસાં ઉપર જઈને બેસી જાય છે. ફેફસાં માં ભગવાને મસ્ત ઝીણી જાળી બેસાડી છે જેની એક તરફ ઓક્સીજન હોય અને બીજી તરફ કાર્બન મોનોક્સાઈડ હોય. ફેફસાં ની જાળી, લોહીમાં ના કાર્બન મોનોક્સાઈડને બહાર અને ઓક્સીજનને લોહીમાં જવા દે છે. 

સિગરેટ પીનારા, ટાર વડે ફેફસાં નું આ મહત્વનું કાર્ય અવરોધી દે છે. પરિણામ ? 
COPD – (chronic obstructive pulmonary disease) સાદી ભાષા માં, ફેફસાં ના કાર્ય માં ખતરનાક રીતે અવરોધ.  COPD થવાના કારણો માં – સિગરેટ પીવી, હવા નું પ્રદુષણ, કેમિકલ નો ધુમાડો અને ધૂળ!!…..હા ભાઈ હા, ધૂળ.
https://mdexim.blogspot.com/2018/10/tobaccofree.html
MPOWER
તંદુરસ્ત સમાજના નિર્માણ માટે વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મહત્વની ભૂમિકા ભજવે છે. તરૂણોના ભણતર અને જ્ઞાન વધવા છતાં તંબાકુના વ્યસનને કારણે થતા રોગોનું પ્રમાણ ઘટાડવાને બદલે વધ્યું છે. ગુજરાતમાં થયેલા ગ્લોબલ યુથ ટોબેકો સર્વે ૨૦૦૩ મુજબ ધો. ૮ થી ૧૦ માં ભણતા તરુણોમાં ૨૯.૩% છોકરાઓ અને ૪.૩% છોકરીઓ (તરુણીઓ) તંબાકુનું સેવન કરે છે.  શાળા/કોલેજના વિસ્તારમાં (COPTA-૨૦૦૩) નામનો રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાયદો ઘડ્યો છે. જેનો ઉપયોગ મહંદ-અંશે થાય છે અને તરુણો રોક-ટોક વિના ધૂમ્રપાન કરે છે.
ધુમ્રપાન: હકીકત અને છોડવા માટેની યુક્તિયા
National institutes of health national cancer institute તરફથી માહિતી આપતી પત્રિકા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ધુમ્રપાન વિશેની હકીકત તમને પોતાને દુખી કરશે
ધુમ્રપાન એ એક વ્યસન છે. તંબાકુના ધુમાડામાં નિકોટીન, તે માદક દ્રવ્ય ખુબજ વ્યસની બનાવનાર અને અસરકારક છે. પણ છોડવા માટે અશક્ય નથી.
દરવર્ષે અમેરિકામાં ૪૦૦૦૦ થી વધુ લોકો ના મૃત્યુ ધુમ્રપાનથી જોડાયેલ બિમારીથી થાય છે. ધુમ્રપાન આસાનીથી તમારા ફેફસાનું કેંન્સર તથા અન્ય કેન્સર માટે જોખમ વધારે છે.
બીજાઓને નુકશાન પહોચાડવું ધુમ્રપાનથી થતુ નુકશાન ફક્ત ધુમ્રપાન કરનારાઓને થતું નથી, પણ કુટુંબના સભ્યોને, સહકર્મચારી અને બીજાઓ જે ધુમ્રપાન કરનારાઓનો ધુમાડો શ્વાસમાં લે છે.
ધુમ્રપાન કરનારાના ધુમાડાથી દરેક વર્ષે ૧૮ મહીના સુધીની ઉમરના શિશુઓમાં બ્રોંકાઇટીસ અને ન્યુમોનિયા ના રૂપે ૩૦૦૦૦ કિસ્સાઓ જોડાયેલ છે.

ધુમ્રપાન કરનાર માતાપિતાના ધુમાડાથી બાળકોમાં મધ્યમ કામની સમસ્યા, ખાસીને કારણે શ્વાસમાં ઘરઘરાટ થવું, અને અસ્થમાની સ્થિતી બગડવી.
જો માતાપિતા બંને ધુમ્રપાન કરતા હોય, ધુમ્રપાન ન કરનારા પાલકોના બાળકો કરતા તેમના બાળકોની ધુમ્રપાન કરવાની શક્યતા વધારે છે.
ઘરોમાં જ્યાં ફક્ત એકજ માતાપિતા ધુમ્રપાન કરે છે, યુવકોમાં પણ શરૂ કરવાની સંભાવના રહે છે.
ગર્ભવતી મહિલા જો ધુમ્રપાન કરતી હોય તો જન્મનાર બાળકનું વજન ખુબજ ઓછૂ હોવું તથા સારા સ્વાસ્થયની સંભાવના ઓછી રહે છે. જો ધુમ્રપાન કરનાર બધી મહિલાઓ ગર્ભાવસ્થા દરમ્યાન છોડી દેતો દર વર્ષે ૪૦૦૦ બાળકોના મૃત્યુ નહી થાય.
ધુમ્રપાનની અસર મોટે ભાગે શરીરના બધા અંગો પર થાય છે અને ઘણી પ્રાણઘાતક બિમારીનું પણ કારણ બને છે. થોડી બિમારીયોમાં મોઢાનું કેંન્સર (કંઠનળી ફેફસાનું અને ગળાનું) પાંડુ રોગ, મોતિઓ, મુત્રપિંડ, સ્વાદુપિંડ, ગર્દનનું કેંન્સર તથા ન્યુમોનિયા થઈ શકે છે.
બીજી સામાન્ય સમસ્યા હૃદયરોગ, અને તીવ્ર ફેફસાની બિમારીઓ સિગરેટના ઘુમાડામાં નિકોટીન, કાર્બન મોનોક્સાઇડ ૪૩ કર્કરોગ પેદા કરનાર પદાર્થો અને ૪૦૦ કરતા વધુ જેરી પદાર્થ જે લાકડાના વાર્નિશ, નખ પરથી રંગ કાઢનાર કેમિકલમાં અને ઉંદરની મારવાની દવાનો સમાવેશ થાય છે.

31st May - World No Tobacco Day [World No Tobacco Day Celebrations] ધુમ્રપાન ન કરનાર ધુમાડો સુંધીલે તો તેના શરીરના કોષમંડલ સ્નાયુ તથા મગજના પ્રાણ વાયુને પકડે છે. હૃદયને શરીરને સખત કરવાની જરૂર છે. જેમ જેમ સમય જશે તેમ ઓછામાં ઓછી હવા તમારા ફેફસામાં પ્રવેશ કરશે. ધુમ્રપાનની શરૂઆત કરનારાઓ, ખાસ કરીને યુવા બાળકો, વધુ ખાંસીથી પીડાવાની સંભાવના રહે છે, ક્ફના ગળફા વધારે છે, સિસોટીના અવાજ સાથે જોરથી શ્વાસ લેવો અને ધુમ્રપાન ન કરનારા કરતા નાનો શ્વાસ લેવો. ગર્ભવતી મહિલા અને તેના બાળકો માટે તીવ્ર શ્વાસની સમસ્યા જેવાકે અસ્થમા, બ્રોંકાઇટીસ્ટ અને ન્યુમોનિયા, એ જે બાળકોના પાલક ધુમ્રપાન કરતા હોય તેમના માટે તે ખુબજ સામાન્ય છે.

સરેરાશ, ધુમ્રપાન ૧૫ વર્ષનું આયુષ્ય ઓછુ કરે છે. ત્વચા ઝાંખી દેખાય છે, અને નખ તથા મોઢુ કાળુ પડી જાય છે. નિકોટીનના લીધે આગળીયો પીળી પડી જાય છે. કોષોની ઉમર પ્રાકૃતિક કરતા પણ વધુ તેજીથી વધે છે. ધુમ્રપાન કરનાર હંમેશા તેની આજુબાજુમાં સિગરેટની ખરાબ વાસ લઈને ફરે છે. તે/તેણીના કફડા, વાળ, વ્યક્તિગત વસ્તુ અને ઘરમાં હંમેશા દુર્ગધ આવે છે. ધુમ્રપાન ન કરનારાઓને હમેશા તેનાથી અણગમો પેદા થાય છે.
શરીર પર ધુમ્રપાનથી થતી અસરો
એ ટાર: તંબાકુ ઉત્પાદનોમાં નું નિકોટીન અને કાર્બન મોનોકસાઈડ શરીરમાંના અલગ અલગ અવયવોને અલગ અલગ રીતે અસર કરે છે:
ચહેરાની ચામડી
કાર્બન મોનોક્સાઇડ રક્તમાનું ઑકસીજન ઓછુ કરે છે અને તે આખા શરીરમાં ચામડી સહિત પહોંચાડે છે. તેને કારણે મોઢાની ચામડી ભુખરી અને સળ પડી જાય છે. શસ્ત્રક્રિયા કરેલ જ્ગ્યાએ ચામડી પર જેટલી જ્લ્દી રૂઝ આવવી જોઇએ તેટલી જલ્દી આવતી નથી. જે લોકો સૌદર્ય વર્ધક શસ્ત્રક્રિયા કરવા જાય છે તેઓને ધુમ્રપાન છોડવાનું કહેવામાં આવે છે, પહેલા અને પછીની પ્રક્રિયામાં રૂઝ આવે તે માટે.
Smoking effects Smoking effects મોઢું અને ગળુ ધુમ્રપાન કરનારાઓને મોઢાના કેન્સરનું જોખમ રહે છે. સિગરેટના ધુમાડામાં રહેલ ટારને કારણે મોઢામાં અને ગળામાં રહેલ કોષમંડળમાં કેન્સર થઈ શકે છે. તંબાકુના કારણે પેઢામાં, દાત સડવા, જીર્ણ થવા તથા શ્વાસમાં દુર્ગધ જેવી બિમારીઓ થાય છે. દાત. ગંદા, કાળા અથવા પીળા પડે છે. ઓછા ઑકસીજનને લીધે લોહી તેમજ નસો સાકડી થવાને કારણે મગજમાં હુમલો થઈ શકે છે.
ફેફસા અને શ્વાસનળી
પુર્ણ પાચન તંત્રને કેંસરનું જોખમ રહે છે. આનું કારણ રસ જે તંબાકુ અને ધુમ્રપાન માંથી ઉત્પન્ન થઈ વારંવાર ગળામાં ફરે છે, પાચન તત્રમાં પહોંચાડવામાં મુખ્ય ભુમિકા બજવે છે. ફરીને છાતીની નીચે જાય, ધુંઆડો શ્વાસનળી દ્વારા પસાર થાય છે. ધુમ્રપાનમાં રહેલ હાયડ્રોજન સાઈનાઇડ અને વધારાના રસાયણો શ્વાસનળીમાં દોરાય છે, તીવ્ર ધુમ્રપાન કરનારાઓને તે ઉત્તેજીત કરે છે અને તેને કારણે ખાંસી થાય છે, ધુમ્રપાન ન કરનારાઓ કરતા ધુમ્રપાન કરનારાઓમાં ફેફસાનો કેન્સર થવાની સંભાવના ૧૫ ગણી વધે છે. વધુમાં, ધુમ્રપાન કરનારના ફેફસા સતત ઉત્તેજીત રહે છે, અને બ્રોકાઇટીસ જેવા ચેપ વિકસિત કરવા માટે વધુ જવાબદાર છે.
હૃદય અને ધમનિયો
તમારા હૃદય પર ધુમ્રપાનથી વિનાશકારી અસર થાય છે. ભારે ધુમ્રપાન કરનારાઓનું બીજા કરતા વધુ પ્રમાણમાં હૃદય હુમલાથી મૃત્યુ થવાની સંભાવના વધે છે. નિકોટીન રક્તદાબ વધારે છે, ધમનિયોને સખત કે છે તેમજ સહેજ રીતે રક્ત ગંઠાઈ જાય છે. આ બધી વસ્તુ જોડાતા હૃદય હુમલો થવાનું જોખમ વધે છે. કોલેસ્ટ્રૉલ વધવાને કારણે રૂધિરાભિસરણ ખરાબ થવાના પરિણામે હુમલો, રૂધિરાભિસરણમાં ખોટકાવ, અને લિમબ્સમાં જડતા તથા નપુશકતા થઈ શકે છે.
કુલ મળીને ધુમ્રપાનથી સ્વાસ્થય પર થતા પરિણામોનું નિરીક્ષણ નિમ્નલિખિત:
ધુમ્રપાન ન કરનારની તુલનામાં ભારે ધુમ્રપાન કરનારા લોકોનું મૃત્યુ ૬૫ વર્ષની ઉમરે થાય છે.
મહિલા જે ધુમ્રપાન કરે છે તેમને ગર્ભાશયનો કેન્સર થવાનું વધુ જોખમ રહે છે, અને તેમના અજનમ્યા બાળકોનું સ્વાસ્થય દાવ પર છે.

નસીબદાર, એક્વાર તમો ધુમ્રપાન બંદ કર્યા પછી શરીર એની મેળે શારૂ થવા માડે છે, ધુમ્રપાનને કારણે જે મોટે ભાગે શરીરનું નુકશાન થયુ છે તે સુધારવા માટે ૧૦ થી ૧૫ વર્ષ છોડી દિધા પછી લાગે છે.
કેવી રીતે ધુમ્રપાન મારે છે: સૈફ અલી ખાન Saif Ali Khan Saif Ali Khan મેન્સ હેલ્થ મેગેજીનના તજ્ઞનો તરફ્થી જુલાઇ ૭.
જ્યારે તમો જુવાન હોવ છો, તમને લાગે છે ધુમ્રપાન કરવુ સારૂં છે, જોડીદારનું દબાણ અને તોફાની જીવવાની ઇચ્છાથી એક્વાર શરૂ કરો છો અને તમો નિકોટીનની લતમાં પડો છો. પણ તમો આગળ ઉપર ફેફસાનું કેન્સર અથવા હૃદય હુમલો એજ ફક્ત તમારા બાબત જોઇ શકો છો.
વ્યસનને લાત મારો
તે અગરૂ છે પણ અશક્ય નથી તેના સોનેરી નિયમો: નહી કહો કે તમોએ કાંઇક છોડયુ છે, તમારે માનવું પડશે કે તમો જે કરો છો એ તમારા માટે ઉત્તમ છે, તે તમોએ કરેલ ઉત્તમ પસંદગી છે. માનસિક નિશ્ચય અને પોતાને અનુભવવું, તે મુખ્ય ચાવી સ્વરૂપ કારણો છે. તીવ્ર ઇચ્છાનો ઉપચાર જેવી રીતે રૂઝ આવેલી ઘાની પોપડીનો કરો છો તેમં કરવો. દુ:ખી થાવ નહી અને વાસનાને ત્યજો, ફક્ત શારા થવા માટે ધ્યાન કેંદ્રિત કરો. પહેલા ત્રણ અઠવાડિયા કદાચ મુશ્કેલી ભર્યા જશે હું દવાખાનામાં દવા લેતો હતો માટે આ મારે માટે સરળ બનયુ, મે પહેલા છોડવાના પ્રયત્નો કર્યા પણ યશ મળ્યો નહી આ વખતે મૃત્યુના ડરે કામ કર્યુ.
તરુણો ધુમ્રપાન/તમાકુનું ક્યાં-ક્યાં પ્રકારે સેવન કરે છે. અને આ સેવનથી શું નુકશાન થાય છે. તે વિષે ચાર્ટ બતાવીને તરુણો ને માહિતગાર કરવા.
બધાજ મારા જેવા ભાગ્યવાન હોતા નથી જે ચેતાવણીની સાથે જ છોડી દે. માટે ઇચ્છા થવાના માધ્યમ ઉપર નિયંત્રણ રાખો: સમય એવા લોકો સાથે વિતાઓ જે ધુમ્રપાન અથવા પીતા ન હોય. હું ધુમ્રપાન ક્યારેક કરતો જ્યારે દારૂ પિતો. પણ હવે મારે દારૂ પણ બંદ કરવો રહ્યો. હું હવે પુરી રીતે ઠીક છું ધુમ્રપાન ઘણા સમયથી બંદ છે અને તેની યાદ પણ આવતી નથી. આજે, જ્યારે હું લોકોને ધુમ્રપાન કરતા જોંવ છું, મને તેઓની દયા આવે છે. તેઓ જાણતા નથી કે કયુ જહેર તેઓ સુંઘે છે.
સૈફ અલી ખાને ‘ઠુઠાને લાત કેવી રીતે મારવી’ તેના સંદર્ભમાં ૧૦ સુચના આપી
ECG મશીનનું જોડાણ કરતી વખતે સિગારેટ પિઓ અને ધુમ્રપાન તમારા હૃદય પર શું અસર કરે છે તે જુઓ.
તમો છોડો છો એવું અનુભવો નહી. વિચારો, તમો તમારૂ જીવન સુધારી રહ્યા છો, કોઇને કાંઇ પણ છોડવું ગમતુ નથી.ધુમ્રપાન ન કરનારા મિત્રો રાખો ખરે ખર મદદ કરશે.
આ એક સારી મનોવૈજ્ઞાનિક યુક્તિ છે: હમેશા ધુમ્રપાનની તીવ્ર ઇચ્છા થશે, એનો અર્થ શરીર નિકોટીન માંથી સુધરી રહ્યુ છે. એ તલસે છે. કારણકે તે તંત્ર છોડી રહ્યુ છે. જેમ ઘાવ ઉઅપર રૂજ આવતા પાપડી તૈયાર થાય છે. છોડવાને બદલે, તીવ્ર પીડા કરતા રૂજ આવવાની પ્રક્રિયા પર જ્ઞાન કેંદ્રિત કરી આંનદ લો.
તમો જો ધુમ્રપાન છોડશો નહી તો ભવિષ્યમાં ફેફસાનું કેન્સર અથવા નપુસકતા નિર્માણ થઈ શકે છે.
જો તમો ધુમ્રપાન કરો છો, શ્વાસમાં દુર્ગંધ મારવાને કારણે સ્ત્રીઓ તમોને ચુંબન કરતા આંનદ નહી અનુભવે.
ધુમ્રપાન ન કરતા અગણ્ય સકારાત્મક ફાયદા તરફ ધ્યાન કેંદ્રિત કરો ઉત્તમ દેખાશો, ઉત્તમ જીવવું અને સશક્ત થશો.
છોડવા માટે તારીખ નક્કી કરો જો શક્ય હોય, સિગરેટ છોડેલ મિત્રને તમારી સાથે રાખવો.
ધ્યાન રાખો ક્યારે અને કેમ તમે ધુમ્રપાન કરો છો. શોધવાની કોશિશ કરો કે દિવસ દરમ્યાન તમો ક્યારે વધુ ધુમ્રપાન કરો છો (દા.ત. સવારની ચાહ અથવા કૉફી સાથે, ગાડી ચલાવતા).
ધુમ્રપાન કરવાની દિનચર્યા બદલો. જુદી જુદી જગ્યાએ તમારી સિગરેટ મુકો: ધુમ્રપાન બીજા હાથે કરો. ધુમ્રપાન કરતી વખતે બીજુ કોઇ કાર્ય નહી કરવું. ધુમ્રપાન કરતા શું અનુભવ છો તે વિચારો.
ધુમ્રપાન અમુખ જગ્યાએજ કરો, જેમકે ઘરની બહારજ. જ્યારે તમોને સિગરેટ જોઇએ, થોડા સમય માટે રોકાય જાવો, ધુમ્રપાન કરતા કાઈ બીજુ કરવાના પ્રયત્ન કરો, તમો કદાચ ચિંગમ ચાવી શકો છો અથવા ગ્લાસ ભરીને પાણી પી શકો છો.
https://mdexim.blogspot.com/2018/09/royalswag.html
hEALTH
એક સમય એક્જ સિગરેટ ખરીદો. જે સિગરેટ પસંદ ન હોય તે પીવાનું શરૂ કરો.
જે દિવસથી તમો છોડો તમારી બધી સિગરેટથી છુટકારો મેળવો. તમારાથી દુર એસ્ટ્રે મુકો.
તમારો સવારનો ક્રમ બદલો જ્યારે તમો નાશ્તો કરો, જે રસોડાના ટેબલ પર તમો રોજ બેસો છો ત્યા ન બેસતા કામમા વ્યસત રહેશો.
જ્યારે તમોને ધુમ્રપાન કરવાની ઇચ્છા થાય ત્યારે તેના કરતા કાઈ બીજુ કામ કરો.
મોઢામાં મુકવા માટે બીજી વસ્તુઓ સાથે રાખો, જેમકે ચિંગમ, કડક ટૉફી.
દિવસ પુરો થાય ત્યારે તમારી જાતને ધુમ્રપાન ન કરવા બદલ પુરસ્કાર આપો. કિલ્મ જોવા જાઓ અથવા ભાવતી વાનગી ખાયને આંનદ મેળવો.
ઉઘવાની ઇચ્છા અથવા વધુ પડતો ગુસ્સો આવે તો ચિંતા કરશો નહી. આ ભાવના જતી રહે છે.
કસરત કરવાના પ્રયત્ન કરો - ચાલવા જાવો અથવા સ્કૂટર ચલાવો.
છોડવા માટે સકારાત્મક વિચાર કરો, જેમકે તમો તમારી જાતને ધુમ્રપાન ન કરનાર તરીકે કેટલો પ્રેમ કરો છો. તમારા અને કુટુંબના સ્વાસ્થય લાભ, તમારી આજુબાજુના બીજાઓ માટે ઉદાહરણ તૈયાર કરો.
જ્યારે તમો તાણ અનુભવો, વ્યસ્ત રહેવાના પ્રયત્ન કરો, સમસ્યાનું સમાધાન કરવાના માર્ગો વિશે વિચારો તમારી જાતને કહો કે ધુમ્રપાન તમારી જાત માટે કાઈ પણ શારૂ નહી કરે, અને કાંઈક બીજુ કરો.
રોજ ખાવ છો તે ખાવ - ભુખ લાગવી તે ક્યારેક ધુમ્રપાનની ઇચ્છા માટે તે ખોટૂ છે.
સિગરેટ ન ખરીદતા જે પૈસા બચે છે તે એક ગલ્લામાં નાખી બચત કરવાનું શરૂ કરો.
બીજાઓને તમારા ધુમ્રપાન છોડયા વિશે જણાવો - મોટે ભાગે લોકો તમોને મદદ કરશે.
`ઘણા ધુમ્રપાન કરનાર તમાર મિત્રોને જાણવું હશે કે કેવી રીતે તમોએ તે છોડયુ, તમો કેવી રીતે ધુમ્રપાન છોડયુ તે બીજાઓને જણાવશો તો તે તમારા માટે સારૂ રહેશે.
જો તમો ધુમ્રપાન કરીને સુઈ જશો, ના ઉમ્મેદ થશો નહી પુર્વ ધુમ્રપાન કરનારાઓએ ઘણીવાર તેઓનું ધુમ્રપાન છોડવા ઘણા પ્રયત્નો કર્યા વાદ તેઓને સફલતા મળી. ફરી છોડો.



Sources healthygujarat ,addictionsupport aarogya

Post a Comment

और नया पुराने
close